તારીખ 20-10-2023
વિષય: વાંચનના ચમત્કાર વિષય ઉપર ડોક્ટર શરીફા વીજળીવાળા નું વક્તવ્ય.
તારીખ 20 /10/ 2023 શુક્રવારના રોજ વનિતા વિશ્રામ સંચાલિત સર.વિ.ડી.ટી ગર્લ્સ હાઇસ્કુલ (સેલ્ફ ફાઇનાન્સ) વિભાગમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ગુજરાતી વિભાગના વડા અને પ્રાધ્યાપક ડોક્ટર શરીફા વીજળીવાળા દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ‘વાંચનના ચમત્કાર’ વિષય ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના માનનીય સેક્રેટરી શ્રી મનહર દેસાઈ ,શાળાના આચાર્ય શ્રી ડોક્ટર જીગીશાબેન પારેખ ઉપસ્થિત રહ્યા હતા. આ વક્તવ્યમાં ડોક્ટર શરીફા વીજળીવાળા દ્વારા વિદ્યાર્થીનીઓને અલગ અલગ ભાષાના પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીઓ વાંચન માટે પ્રેરાય એ અંગે ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓને વિષય અનુરૂપ પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા શ્રી ડોક્ટર જીગીશાબેન પારેખે આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.